જામનગરમાં મહોમ્મદ પેયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જુલુસ યોજાયું
જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
જામનગર શહેરમાં મોહંમદ પેયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા અલ સફા પાર્કમાં 'રજા ટ્રસ્ટ' દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારે કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી જુદી જુદી સોસાયટીઓમાં ઝુલુસ ફેરવવામાં આવ્યું હતું. જેમાં અનેક મુસ્લિમ અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા.