જામનગરમાં રણજીત સાગર રોડ પર બે અબોલ પશુઓના જીવ લેનાર કારચાલકની કાર ઉશ્કેરાયેલા ટોળાએ સળગાવી નાખી

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રણજીત સાગર રોડ પર બે અબોલ પશુઓના જીવ લેનાર કારચાલકની કાર ઉશ્કેરાયેલા ટોળાએ સળગાવી નાખી 1 - image


જામનગરમાં સાધના કોલોની રોડ પર ગઈ મોડી રાત્રે એક કારના ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવી માર્ગ પર બેઠેલા બે અબોલ પશુઓને હડફેટમાં લઈ લેતાં બંનેના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જે પશુઓની સાથે ટકરાયા પછી કાર રોડ ની વચ્ચે આવેલા એક ડિવાઇડર સાથે ટકરાઈને થંભી ગઈ હતી.

આ અકસ્માતના બનાવમાં કારચાલકને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ અકસ્માત બાદ તે પોતાની કાર છોડીને ભાગી છુટ્યો હતો. અબોલ પશુઓના જીવ લેનાર કારચાલક સામે મોડી રાત્રે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, અને કેટલાક લોકોનું ટોળું એકત્ર થયું હતું, અને ઉસકેરાટમાં આવી જઈ, વેગેનાર કંપનીની કારને આગ ચાંપી દેતાં ફાયરની ટીમ પહોંચે તે પહેલાં કાર બળીને ખાખ થઈ છે, ને માત્ર હાડપિંજરના સ્વરૂપમાં જ રહી હતી.

પોલીસને આ ઘટનાને જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News