જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતિય યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડમાં રહેતા પરપ્રાંતિય યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર,તા.15 માર્ચ 2024,શુક્રવાર

જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના એકલવાયા જીવનથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ દરેડમાં એક ભાડાના મકાનમાં રહેતા રાહુલ હરિરામ જાટવ નામના 31 વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે સૌ પ્રથમ મૃતકની પત્ની આરતી ઘરે આવીને 108 ની ટુકડીને જાણ કરતાં 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને રાહુલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

 જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવાન પોતાના પત્નીથી અલગ અને એકલો રહેતો હતો, તેમ જ હાલ કામેં પણ જતો ન હતો. પોતાના એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભરી લીધાનું પોલીસમાં જણાવાયું છે.


Google NewsGoogle News