જામનગરના હાપા નજીક ખાનગી પાર્ટી પ્લોટના રૂમમાં પરપ્રાંતિય શ્રમિકનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
જામનગરના હાપા નજીક ખાનગી પાર્ટી પ્લોટના રૂમમાં પરપ્રાંતિય શ્રમિકનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

જામનગર,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા વિસ્તારમાં આવેલા એક ખાનગી પાર્ટી પ્લોટના રૂમમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક આવેલા શાંતિ પાર્ટી પ્લોટના એક રૂમમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પંખામાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

 આ બનાવની જાણ થતાં અન્ય શ્રમિકોમાં દોડધામ થઈ હતી, અને પોલીસને જાણ કરાઈ હતી, જેથી સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહને પંખામાંથી નીચે ઉતાર્યો હતો, અને પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. તેણે કયા સંજોગોમાં આપઘાતનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસે અન્ય શ્રમિકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.


Google NewsGoogle News