જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Image Source: Freepik

જામનગર, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના આધેડે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલનગર નજીક જકાતનાકા પાસે રહેતા ભીખુભા રેણાજી સોઢા નામના ૫૫ વર્ષના આધેડે ગઈકાલે પોતાના ઘેર અકળ કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિરેન્દ્ર સિંહ ભીખુભા સોઢાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.જે. જોષી ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે તેમણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.


Google NewsGoogle News