જામનગરમાં ગાજરફળીમાં રહેતા આધેડની સુભાષ બ્રિજ પરથી મોતની છલાંગ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગાજરફળીમાં રહેતા આધેડની સુભાષ બ્રિજ પરથી મોતની છલાંગ 1 - image


માનસિક અસ્થિરતાના કારણે જિંદગીથી કંટાળી જઈ સુભાષ બ્રિજ પરથી કૂદકો મારી આપઘાત કર્યો

જામનગર,તા.15 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગરમાં ગાજર ફળી વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતા એક આધેડે પોતાની માનસિક બીમારી થી કંટાળી જઈ, સુભાષ બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી છે, અને આત્મહત્યા કરી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગાજર ફળી વિસ્તારમાં શરણમ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 210 માં રહેતા અને સોની કામ કરતા અનિલભાઈ શાંતિલાલ ભુવા નામના 54 વર્ષના આધેડે પોતાની છેલ્લા દસ વર્ષની માનસિક વિમારીથી કંટાળી જઈ સુભાષ બ્રિજ પરથી છલાં લગાવી દઈ આત્મહત્યા કરી લીધી છે.

 તેઓ ગત 12મી તારીખે પોતાના ઘેરથી બાલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા પછી સુભાષ બ્રિજ પરથી છલાંગ લગાવી દેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર ગૌરવ અનિલભાઈ ભુવાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ વાળાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે


Google NewsGoogle News