જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા શ્રમિક આધેડનું પટકાઈ પડતાં ગંભીર ઇજા થવા પછી અપમૃત્યુ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા શ્રમિક આધેડનું પટકાઈ પડતાં ગંભીર ઇજા થવા પછી અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર

જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના આધેડ કે જેઓ કામ કરતી વખતે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે ગંભીર ઇજા થયા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં ખેતીવાડી ફાર્મ સામે રહેતા વાલજીભાઈ પેથાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના આધેડ, કે જેઓ મજૂરી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ પડી ગયા હતા, અને માથાના અને કપાળના ભાગે ગંભીર ઇજા થવાથી તેઓને ઉલટી થવા લાગી હતી. 

આ બનાવ પછી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. 

આ બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલ વાલજીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિત કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News