જામનગરમાં કાલાવડનાકા બહાર રહેતી પરિણીતાનો સંતાનોના ઝગડાથી કંટાળી આપઘાત

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડનાકા બહાર રહેતી પરિણીતાનો સંતાનોના ઝગડાથી કંટાળી આપઘાત 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક પરિણીતાએ પોતાના સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ ઝેર પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ નાકા બહાર મામાના મંદિર સામે રહેતી જશવંતીબેન ઉર્ફે જયશ્રીબેન વિનોદભાઈ કટેશીયા નામની 32 વર્ષની પરિણીતાએ પોતાના ઘેર ગુસ્સામાં આવી જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેણીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.એ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર પરિણીતાના ત્રણ સંતાનો કે જેઓ અંદરોઅંદર ઝઘડો કરતા હતા તેથી માતાને મનમાં લાગી આવતાં ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે.


Google NewsGoogle News