જામનગરમાં રહેતી પરણીતાને ઉત્તર પ્રદેશમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સિતમ
image : Freepik
- પતિ, સાસુ, સસરા સહિતના સાસરીયાઓએ દહેજની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ
જામનગર,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
જામનગરમાં વુલન મિલ નજીક રહેતી મૂળ ઉત્તર પ્રદેશની વતની પરણીતાને ઉત્તર પ્રદેશમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજના કારણે મારકૂટ કરી, ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.
તેથી તેણીએ જામનગર આવ્યા પછી મહિલા પોલીસ મથકનો સંપર્ક સાથે હતો, ત્યાં મહિલા પીએસઆઇ એ પારુલબેન અવિનાશભાઈ નામની પરપ્રાંતિય યુવતીની ફરિયાદના આધારે વારાણસીમાં રહેતા તેણીના પતિ અવિનાશ પ્રતાપ રાજેશકુમારસિંગ સસરા રાજેશકુમાર પલકસિંગ, સાસુ માધુરીબેન રાજેશકુમારસિંગ, દિયર ઈશાનપ્રસાદસિંગ સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.