જામનગરના ગોકુલ નગરમાં રહેતી પરણીતાનો માત્ર આઠ માસના લગ્નજીવન બાદ ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
જામનગરના ગોકુલ નગરમાં રહેતી પરણીતાનો માત્ર આઠ માસના લગ્નજીવન બાદ ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

Suicide Case Jamnagar : જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક નવ પરણીતાએ પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં શેરી નંબર 12 માં રહેતી દયાબેન સંજયભાઈ ચૌહાણ નામની 20 વર્ષની દેવીપુજક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર લોખંડના પાઇપમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતક નાકસંબંધી રમેશભાઈ મનજીભાઈ ચૌહાણએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને વૃદ્ધના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 મૃતક યુવતીના માત્ર આઠ માસ પહેલા જ લગ્ન થયા હતા, અને પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હોવાથી પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.


Google NewsGoogle News