જામનગરની પરણીતાએ ગોંડલમાં રહેતા પોતાના દારૂડિયા પતિ સામે મારકૂટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
જામનગરની પરણીતાએ ગોંડલમાં રહેતા પોતાના દારૂડિયા પતિ સામે મારકૂટ અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી 1 - image


Jamnagar News : જામનગરના મોમાઈ નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગોંડલમાં રહેતા પોતાના દારૂડિયા પ્રતિ સામે મારકુટ અને ત્રાસ અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસનો દોર ગોંડલ સુધી લંબાવ્યો છે.

 આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના મોમાઈનગર શેરી નંબર-3 માં રહેતી નીધીબેન અશ્વિનભાઈ મકવાણા નામની 30 વર્ષની યુવતી, કે જેણે ગઈકાલે મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગોંડલમાં રહેતા પોતાના પતિ અશ્વિનભાઈ ધીરુભાઈ મકવાણા સામે દારૂનો નશો કરીને અવાર નવાર શારીરિકને માનસિક ત્રાસ ગુજારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નિધીબેનને તેણીનો પતિ અશ્વિન મકવાણા પોતાના લગ્નજીવન દરમિયાન અવારનવાર ઘરે દારૂ પીને આવતો હતો, અને પોતાને મારકુટ કરી ગાળો આપતો હોવાથી તેના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું હતું, અને પોતાના માવતરે રહેવા આવી ગયા પછી આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 જે ફરિયાદના અનુસંધાને પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસનો દોર ગોંડલ તરફ લંબાવ્યો છે.


Google NewsGoogle News