જામનગરમાં પરિણીતાનો પતિના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પરિણીતાનો પતિના વિયોગમાં ગળાફાંસો ખાઈ આપઘાત 1 - image

image : Freepik

Jamnagar Suicide Case : જામનગરમાં ગણેશવાસ વિસ્તારમાં રહેતી ગઢવી પરિણીતાએ પોતાના પતિના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ન્યુ જેલ પાછળ ગણેશવાસ વિસ્તારમાં ભરવાડ પાડોમાં રહેતી મનુબેન ડાયાભાઈ જાદવ નામની 31 વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે બેચરભાઈ ભીમાભાઇ જાદવે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના પીએસઆઇ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક યુવતીના પતિનું આજથી અઢી મહિના પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણી ગુમસુમ રહેતી હતી, અને પતિના આઘાતમાં આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News