જામનગર બાદ લાલપુરના દલતુંગીનો દારૂનો ધંધાર્થી પાસાના પિંજરે પુરાયો

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
જામનગર બાદ લાલપુરના દલતુંગીનો દારૂનો ધંધાર્થી પાસાના પિંજરે પુરાયો 1 - image

image : Freepik

Liquor Case in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં રહેતા એક શખ્સ સામે દારૂ અંગેના ચારથી વધુ ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ પ્રોહીબિશનના બુટલેગર સામે વહીવટી તંત્ર દ્વારા પાષાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની પાસા હેઠળ અટકાયત કરી લઈ સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે.

 લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં રહેતા માલાભાઈ હીરાભાઈ પંડત નામના રબારી શખ્સ સામે જુદા જુદા ચાર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ઉપરોક્ત નામચીન દારૂના ધંધાર્થી સામે જિલ્લા પોલીસ વડા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા સમાહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી.

 તેને મંજૂરીની મહોર લાગી જતાં એલસીબી ની ટીમે માલાભાઈ હીરાભાઈ પંડતની અટકાયત કરી લીધી છે, અને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News