જામનગરમાં રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટથી મકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
 fire due to short circuit in jamnagar


Fire in Jamnagar : જામનગરમાં નવાગામ ઘેડ-મધુરમ રેસીડેન્સીમાં આવેલા મહેશભાઈ પરમાર નામના વ્યક્તિના બંધ રહેણાંક મકાનમાં આજે બપોરે 12.15 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. રેફ્રિજરેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગવાથી ઘર વખરી ખાખ થઈ હતી.

આગના સમયે મકાન માલિક પોતે ખાનગી કંપનીમાં નોકરી પર ગયા હતા, અને તેમના પત્ની પણ  તાળું મારીને બહાર ગયા હતા, દરમિયાન આગનો બનાવ બનતાં આડોશી પાડોશીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જે દરમિયાન ફ્રીજ ટીવી, ફર્નિચર, ગાદલા, અનાજ-કરિયાણું વગેરે બળીને ખાખ થયા હતા. આગના આ બનાવને લઈને આડોશી પાડોશીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.


Google NewsGoogle News