જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ 1 - image


- ફાયર બ્રિગેડને ટુકડીએ ઘટના સ્થળે પહોંચી જઈ આગને બુજાવી: તે પહેલાં ફ્લેટની તમામ ઘરવખરી બળીને ખાખ

જામનગર,તા.22 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી જઈ આગને બુજાવી હતી. તે પહેલાં સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ હતી.

 આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટના ત્રીજા માટે રહેતા ઈશ્વરભાઈ રાજગોરના મકાનમાં શુક્રવારે સાંજે પાંચેક વાગ્યાના આરસામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

 જેના કારણે ઘરની અંદર રહેલા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો, ગાદલા-ગોદળા, ફર્નિચર વગેરે સળગવા લાગ્યા હતા. આગના આ બનાવ અંગેની જાણ થવાથી સમગ્ર એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં દોડધામ થઈ હતી.

 આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના ટેન્કર વડે મારો ચલાવી આગને બુજાવી હતી. પરંતુ તે પહેલા સમગ્ર ફ્લેટમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ હતી.


Google NewsGoogle News