જોડિયા તાલુકાના તારાણા ધાર ગામ પાસે એક ખેડૂત યુવાનની હત્યા નિપજાવાતાં ભારે ચકચાર

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
જોડિયા તાલુકાના તારાણા ધાર ગામ પાસે એક ખેડૂત યુવાનની હત્યા નિપજાવાતાં ભારે ચકચાર 1 - image


Image: Freepik

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારાણા ગામમાં રહેતા એક ખેડૂત યુવાન પર બે અજાણ્યા શખ્સો એ ધારદાર હથીયાર વડે હુમલો કરી હત્યા નિપજાવતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈએ બે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોડીયા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ધારમાં રહેતા અને ખેતી કામ કરતા ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા નામના ૪૦ વર્ષના રાજપૂત યુવાન પર આજે બપોરે તારાણા ધાર નજીક એક હોટલના પાછળના ભાગમાં લઈ જઈ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી.

જે બનાવ અંગે મૃતકના મોટાભાઈ જગુભા નિમુભા જાડેજાએ જોડીયા પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો અપરાધ નોંધિ તેઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News