જામજોધપુરના ભુપત આંબરડી ગામના ખેડૂતનું પાણીના વોકળામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના ભુપત આંબરડી ગામના ખેડૂતનું પાણીના વોકળામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ 1 - image

image: Pixabay

Jamnagar News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં રહેતા એક ખેડૂત યુવાનનું પાણીના વોકળામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર નજીક ભુપત આંબરડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘનશ્યામસિંહ રામભા જાડેજા નામના 48 વર્ષના ખેડૂત ગઈકાલે પોતાની વાડી નજીક પાણીના વોકળામાં પડી ગયા હતા, જ્યાં પાણીમાં ડૂબી જતાં તેઓનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે દુષ્યંતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News