જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરેલી એક રીક્ષાની ચોરી થઈ ગયાની ફરિયાદ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરેલી એક રીક્ષાની ચોરી થઈ ગયાની ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.9 જાન્યુઆરી 2024,મંગળવાર

જામનગરમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 નહેરુનગર શેરી નંબર 10માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નટવરલાલ નાનજીભાઈ પરમારે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલયની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કરો રૂપિયા 40 હજારની કિંમતની રીક્ષાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News