લાલપુર તાલુકાના મોડપર ગામમાં યુવતીની છેડતીના પ્રશ્ને વેપારી યુવાન પર તલવાર વડે હુમલો કરાયાની ફરિયાદ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
લાલપુર તાલુકાના મોડપર ગામમાં યુવતીની છેડતીના પ્રશ્ને વેપારી યુવાન પર તલવાર વડે હુમલો કરાયાની ફરિયાદ 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા એક વેપારી ઉપર તે જ ગામના એક શખ્સે તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. યુવતી પર ખરાબ નજર રાખવા બાબતેની તકરારમાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના મોડપર ગામમાં રહેતા અને પાન મસાલાની દુકાન ચલાવતા પ્રવીણભાઈ નારણભાઈ ચાવડા નામના વેપારીએ પોતાના ઉપર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેજ ગામના મનાભાઈ ગોજીયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી મનાભાઈ ના ભાઈએ અગાઉ ફરિયાદીની પુત્રી સામે ખરાબ નજરથી જોતાં તે અંગે ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હુમલાખોર આરોપી ભાગી છૂટ્યો હોવાથી મેઘપર પોલીસ તેને શોધી રહી છે.


Google NewsGoogle News