જામનગરની જિલ્લા જેલમાં જેલ સ્ટાફ અને કેદી ભાઈઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર
જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે તારીખ 1 ને રવિવારના રોજ "સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબ્યુટ આપવાના શુભ આશયથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જીલ્લા જેલ ખાતે જીલ્લા જેલ અધિક્ષક એમ.એન.જાડેજા, જેલર ઘનશ્યામ પટેલ, સામાજિક સંસ્થા વી.વી.ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા તેમજ તમામ કર્મચારી અને જેલમાં રહેલા પાકા કામના બંદીવાન ભાઈઓ દ્વારા જેલની અંદર અને બહારના ભાગમાં શ્રમદાન કરી સ્વચ્છતા જાગૃતિ માટેના ઉમદા કામમાં સહભાગી બન્યા હતા.