જામનગરના ધ્રોલમાં ટ્રક ઉપર ચઢીને કામ કરી રહેલા કલીનરનું વીજઆંચકો લાગતાં અપ મૃત્યુ
- ટ્રક ઉપર ચડીને લોખંડનો પાઇપ કાઢતી વખતે પાઇપ વીજતારને અડી જતાં વીજ આંચકો લાગ્યો
જામનગર,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર
ધ્રોલ શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસે ટ્રકમાંથી લોખંડના પાઇપ ઉતારવા ઉપર ચડેલા કલીનરને વીજ શોક લાગતા મોત નિપજયું હતું.
મળતી માહિતી મુજબ ધ્રોલ શહેરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલ અંબાજી એગ્રો સેન્ટરમાં ધાણા ભરવા માટે આવેલ ટ્રક નં. જીજે-12-બીઝેડ-5140 નો કલીનર બીરબલખાન લખણખાન ભૈયા (ઉ.વ.24) રહે. રાજસ્થાનવાળો લોખંડના પાઇપ ઉતારવા માટે ટ્રક ઉપર ચડેલ દરમિયાન પાઇપ ઉતારતી વેળાએ ઉપરથી પસારથી વીજલાઇનને અડી જતાં જોરદાર કરંટ લાગતા પટકાયો હતો. જેથી તેને તાત્કાલીક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબિબે તપાસ કરી મૃત ઘોષિત કર્યો હતો.
આ બનાવની ડ્રાઇવર મહેરદિન અમેદખાનની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.