જામનગરમાં ભંગારનો વાડો ચલાવતા વેપારીને પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભંગારનો વાડો ચલાવતા વેપારીને પૈસાની ઉઘરાણી કરવા જતાં માર પડ્યો 1 - image


Jamnagar Crime News : જામનગરમાં દીગવીજય પ્લોટ વિસ્તારમાં રહેતા અને રાજપાર્ક વિસ્તારમાં ભંગારનો વાડો ચલાવતા અલ્પેશભાઈ રમણીકભાઈ ચાંદ્રા નામના 39 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર આડેધડ હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવી દેવા અંગે લાલવાડી વિસ્તારમાં રહેતા નૂરમામદભાઈ ઝાડમ તથા તેના બે પુત્ર હુસેન નૂરમહમદભાઈ અને શાહનવાઝ નૂરમહમદભાઈ સામે ફરીયાદ નોંધાવી છે. જ્યારે તેને ઈજા થઇ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભંગારના વેપારી અલ્પેશભાઈ આરોપી નૂરમામદ ઝાડમ પાસે પોતાના વેપારના ધંધાના પૈસા માંગતા હતા. તે પૈસાની ગઈકાલે આરોપી પાસે ઉઘરાણી કરતાં ઉશ્કેરાઈ જઇ વેપારીને આરોપી પિતા-પુત્રોએ લમધારી નાખ્યા હતા અને ફરીથી પૈસાની માંગણી કરશે, તો પતાવી નાખશે તેવી ધમકી આપી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જામનગર પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.


Google NewsGoogle News