જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામના વેપારીનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામના વેપારીનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા ભાવેશભાઈ કેશવજીભાઈ તાલપરા નામના 49 વર્ષના વેપારી યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સૌપ્રથમ તેઓને સારવાર માટે લતીપર ગામની હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં તેઓને હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તબિબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાજેશભાઈ કેશવજીભાઈ તાલપરાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News