જામનગરના એક વેપારીને વ્યાજખોર શખ્સ દ્વારા કોર્ટ કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી ધાગધમકી અપાઇ

Updated: May 19th, 2024


Google NewsGoogle News
જામનગરના એક વેપારીને વ્યાજખોર શખ્સ દ્વારા કોર્ટ કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી ધાગધમકી અપાઇ 1 - image


Image: Freepik

Usurer: જામનગર ના પવનચક્કી વિસ્તારમાં રહેતા એક વેપારીને વ્યાજખોર શખ્સએ પોલીસ કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે વ્યાજખોર સામે ગુનો નોધ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા સચિન પ્રવીણભાઈ નંદા નામના ૩૦ વર્ષના વેપારીએ જામનગરના નાનકપુરીમાં રામનાથ કોલોની વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા સામે વ્યાજ વટાવ અંગે નો કેસ કર્યો હતો, જે કેસ પાછો ખેંચી લેવા બાબતે આરોપી મોહિત નંદાએ દબાણ કરી ધાક ધમકી આપી હતી.

જેથી આ મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વેપારી સચીન નંદા દ્વારા આરોપી મોહિત સુભાષભાઈ નંદા સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૫૦૪ અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે, અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News