જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતાની માલિકીની ટગે કચ્છ નજીકના સમુદ્રમાં જળ સમાધિ લીધી
- ટગમાં રહેલા બીએસએફના એક જવાનો તેમજ ક્રૂ-મેમ્બર સહિત છને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા
જામનગર,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતાની માલિકીની એક ટગ કે જેણે શનિવારે રાત્રે કચ્છ નજીકના દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે. જે ટગમાં બીએસએફના બે જવાનો તેમજ પાચ ક્રુ મેમ્બરો હતા. જે તમામ નવને સ્થાનિક વિસ્તારના માછીમારોએ બચાવી લીધા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા યુસુફભાઈ ખફી કે જેઓની માલિકીની બી.પી. નંબર 1264 'નવાબ' નામની ટગ કે જે કચ્છના કોરીક્રિકમાં બીએસએફ દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળે સામાન લઈને જતી હતી. દરમિયાન પૂનમની રાતે દરીયામાં ખૂબ જ ભરતી હોવાથી કચ્છના નારાયણ સરોવર નજીકના દરિયામાં ટગમાં પાણી ભરાવા લાગ્યું હતું, અને ધીમે ધીમે ડુબવા લાગી હતી.
દરમિયાન સુરક્ષાના ભાગરૂપે ટગમાં બીએસએફના 1 જવાનને રખાયા હતા, જે જવાનો અને 6 ક્રુ મેમ્બરો કે જેઓ જીવ બચાવવા માટે દરિયામાં કુદી પડ્યા હતા, અને નારાયણ સરોવર નજીકના દરિયામાં માછીમારોએ તાત્કાલિક અસરથી તમામ નવ લોકોને પોતાની માછીમારી બોટમાં ખેંચી લઈ સલામત રીતે બચાવી લીધા હતા, અને કાંઠે પહોંચાડી દીધા હતા. જેથી કોઈ જાન હાની થઈ ન હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ટગે જળ સમાધિ લઈ લીધી છે.