જામજોધપુરના સમાણા ગામની છ વર્ષની માસુમ બાળકીનું ઝેરી જાનવર કરડી જતાં અપમૃત્યુ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના સમાણા ગામની છ વર્ષની માસુમ બાળકીનું ઝેરી જાનવર કરડી જતાં અપમૃત્યુ 1 - image

image : Freepik

Child Death in Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા પટેલ પરિવારની છ વર્ષની માસુમ બાળકીને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું, જેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

 જામજોધપુરના સમાણા ગામમાં રહેતા મહેશભાઈ વાદીની છ વર્ષની માસુમ પૂત્રી નિવાબેન કે જે ઘર પાસે રમતી હતી, જે દરમિયાન તેને કોઈ ઝેરી જાનવર કરડી જતાં બેશુદ્ધ બની હતી. આથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા જામજોધપુરની પોલીસ ટુકડી જામનગર દોડી આવી છે, અને બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News