જામજોધપુર તાલુકાના નંદાણા ગામના 45 વર્ષીય યુવકને હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
જામજોધપુર તાલુકાના નંદાણા ગામના 45 વર્ષીય યુવકને હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 28 નવેમ્બર 2023 મંગળવાર

જામજોધપુર તાલુકા ના નંદાણા ગામમાં રહેતા ૪૫ વર્ષ ના એક યુવાનને ગઈકાલે એકાએક પોતાના ઘેર છાતિમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. જે મામલે શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના નંદાણા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેરામભાઈ ચકુભાઈ સોલંકી નામના ૪૫ વર્ષના દેવીપુજક જ્ઞાતિના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, તેથી તેને સારવાર માટે જમજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિજય જેરામભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં શેઠ વડાલા પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડી જામજોધપુરની સરકારી હોસ્પિટલે પહોંચી ગઈ હતી, અને જેરામભાઇના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓનું હૃદય રોગનો હુમલો આવી જતાં અપમૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે.


Google NewsGoogle News