જામનગરના લાલપુર નજીક મેઘપરમાં રહેતા પરપ્રાંતીય 43 વર્ષના યુવાનનું તાણ-આંચકી આવી જતાં અપમૃત્યુ

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
જામનગરના લાલપુર નજીક મેઘપરમાં રહેતા પરપ્રાંતીય 43 વર્ષના યુવાનનું તાણ-આંચકી આવી જતાં અપમૃત્યુ 1 - image

જામનગર,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામના રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની એવા 43 વર્ષના પર પ્રાંતીય યુવાનને બીમારી હોવાથી ગઈકાલે રાત્રે તેનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અજય કુમાર વિશ્વનાથ પાંડે નામના 43 વર્ષના યુવાનને છેલ્લા કેટલાક સમયથી તાણ અને આંચકીની બીમારી હતી. દરમિયાન ગઈકાલે પોતાના ઘેર સૂતા હતા જે દરમિયાન એકાએક આંચકી આવી જતાં હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના સંબંધિ ધર્મેન્દ્રકુમાર હીરાલાલ દુબેએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News