જામનગરના સિક્કા ગામમાં રહેતા 37 વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ
image : Freepik
જામનગર,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર શહેર અને જિલ્લામાં હૃદય રોગના કારણે મૃત્યુના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, દરમિયાન ગઈકાલે સિક્કા ગામના વધુ એક 37 વર્ષના યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જેથી ચિંતા પ્રસરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં મારૂતીનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જયવંતસિંહ બળવંતસિંહ વાળા નામના 37 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
મૃતકના મોટાભાઈ મહેન્દ્રસિંહ બળવંતસિંહ વાળાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.