જામનગરના લાખાબાવળમાં રહેતા 28 વર્ષના યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી ગયા પછી અપમૃત્યુ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
જામનગરના લાખાબાવળમાં રહેતા 28 વર્ષના યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં હૃદય થંભી ગયા પછી અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.08 નવેમ્બર 2023,બુધવાર

જામનગર નજીક લાખાબાવળ ગામના પાટીયા પાસે રહેતા એક શ્રમિક યુવાનનું નિંદ્રાઘીન અવસ્થામાં જ હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે લાખાબાવળ ગામના પાટીયા નજીક માણીભદ્ર વીલા પાસે રહેતા બસીલ માનસિંગભાઈ મહિડા નામના 28 વર્ષના યુવાનને ગઈકાલે રાત્રે સુઈ ગયા પછી ઉઠાડતાં ઉઠ્યા ન હતા, અને બેશુદ્ધ થઈ ગયા પછી તેનું હૃદય બંધ પડી ગયું હોવાથી મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રાયસીંગભાઇ માનસિંગભાઈ મહીડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડીવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News