જામનગરના રામેશ્વર નગરમાં રહેતા 17 વર્ષના તરુણનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
જામનગરના રામેશ્વર નગરમાં રહેતા 17 વર્ષના તરુણનો અગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image


Suicide Case Jamnagar : જામનગરમાં રામેશ્વર નગર નજીક માટેલ ચોકમાં રહેતા 17 વર્ષીય તરુણે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર માટેલ ચોકમાં રહેતા અને કડિયા કામની છૂટક મજૂરી કરતા ધ્રુવ વસંતભાઈ ચોટલીયા નામના 17 વર્ષના તરુણે ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 જે બનાવ અંગે મૃતકની માતા અનિતાબેન વસંતભાઈ ચોટલીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News