જામનગરના વેપારીના મુંબઈ અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રનું હૃદય રોગના હુમલાથી નિધન

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
જામનગરના વેપારીના મુંબઈ અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રનું હૃદય રોગના હુમલાથી નિધન 1 - image


- મુંબઈથી મૃતદેહને જામનગર લાવ્યા પછી બપોર બાદ તેની અંતિમવિધિ: પરિવારમાં ભારે શોક છવાયો

જામનગર,તા.10 ઓક્ટોબર 2023,મંગળવાર

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમ નું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજ્યું હોવાથી ભારે કરુણતા સર્જાઇ છે, અને પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નીપજયું હોવાથી પરિવારમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે. આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના કિશોરના હ્રદય રોગના હુમલા થી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે.


Google NewsGoogle News