જામનગરના બેડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

- ભાઈએ ટીવી જોવાની ના પાડતાં મનમાં લાગી આવ્યું હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધું

જામનગર,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર

જામનગરના બેડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. તેના ભાઈએ ટીવી જોવાની ના પાડતાં મનમાં લાગી આવ્યું હોવાથી આત્મહત્યાનો રાહ અપનાવી લીધો હતો.

આ બનાવની વિગત એવિ છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતી હુસેનાબેન ફારૂકભાઈ નારેજા નામની 13 વર્ષની કિશોરી, કે જે જેણે ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ લેતાં તેણીને તાત્કાલિક બેભાન અવસ્થામાં નીચે ઉતારીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી. જયાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પિતા ફારુકભાઈ મામદભાઈ નારેજાએ પોલીસને જાણ કરતાં બેડી મરિન પોલીસ સ્ટેશનનો સ્ટાફ  જી.જી.હોસ્પીટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક હુસેનાબેનને તેના ભાઈએ ટીવી જોવાની ના પાડતાં તેણીને માઠું લાગી આવ્યું હતું, અને આવેશમાં આવી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News