જામનગરના રામેશ્વર નગરમાં મકાનના રસોડામાં આગથી 80 હજારનું નુકસાન

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જામનગરના રામેશ્વર નગરમાં મકાનના રસોડામાં આગથી 80 હજારનું નુકસાન 1 - image


જામનગરનાં રામેશ્વર નગર વિસ્તારમા એક મકાનમા આજે અકસ્માતે આગ લાગી હતી જેને ફાયર બ્રિગેડ દ્વારા કાબુમા લેવાંમાં આવી હતી આગના કારણે ઘર વખરીને ભારે નુકશાન થયું હતું

જામનગરના રામેશ્વર નગર, માટેલ ચોક, ક્રિષ્ના પાર્ક શેરી નંબર-3માં રહેતા આશિષભાઈ અરવિંદભાઈ વૈધનાં રહેણાક મકાનના રસોડામાં આજે સવારે અકસ્માતે આગ લાગી હતી. આ બનાવો અંગે ની જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી આવ્યો હતો. અને પાણી નો મારો ચલાવી ને આગ ને કાબુ માં લીધી હતી. આજના આ બનાવમાં રસોડાનું ફર્નિચર ફ્રીજ આરો પ્લાન્ટ સહિતની ઘરવખરીને અંદાજે 80 હજારની કિંમતનું નુકસાન થયું હોવાનું મકાન માલિક દ્વારા જણાવાયું હતું. 


Google NewsGoogle News