જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે 7,986 કેસોમાં થયું સમાધાન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે 7,986 કેસોમાં થયું સમાધાન 1 - image


જામનગર જિલ્લામાં ગઈકાલે  લોક અદાલત યોજાઈ હતી, આ  અદાલતોમાં સમાધાન માટે 17197 થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7986 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 19 કરોડ 28 લાખનું સેટલમેન્ટ થયું છે.

જામનગર માં  આજે શનિવારે  લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 17197 કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના 11680 ,.લોક અદાલત નાં 2600 જ્યારે સ્પેશિયલ સીટીંગના 2917 નો સમાવેશ થાય છે.

 જે પૈકી આજે એકીસાથે 7,986 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર ની લોક અદાલતોમાં આજે રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 19,28,70,262 રૂપિયાના સેટલમેન્ટ થયા છે.


Google NewsGoogle News