જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે 7,020 કેસોમાં થયું સમાધાન

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એકીસાથે 7,020 કેસોમાં થયું સમાધાન 1 - image


Image Source: Freepik

- જિલ્લાની 24 અદાલતો માં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે 22 કરોડ 13 લાખમાં સેટલમેન્ટ થયું

જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર

 જામનગર જિલ્લામાં આજે વર્ષ 2023ની અંતિમ લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની 24 જેટલી અદાલતોમાં સમાધાન માટે 16,541થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7,020 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 22 કરોડ 13 લાખનું સેટલમેન્ટ થયું છે.

નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા 9.12.2021ના રોજ વર્ષ 2023ની અંતિમ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 16,541 કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશન ના 11,280 અગાઉના પેન્ડિંગ 2,271 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 2,990 નો સમાવેશ થાય છે.

જે પૈકી આજે એકીસાથે 7,020 કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ 24 લોક અદાલતોમાં આજે રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 22,13,46,330.07ના સેટલમેન્ટ થયા છે.



Google NewsGoogle News