જામનગર શહેરમાં 45 વર્ષીય યુવાન અને 61 વર્ષના બુઝુર્ગનું હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં 45 વર્ષીય યુવાન અને 61 વર્ષના બુઝુર્ગનું હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા 45 વર્ષના યુવાન તેમજ રોયલ પુષ્પ પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષના બુઝુર્ગનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા પિયુષભાઈ ડાયાભાઈ પરમાર નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘર એકાએક છાતિમાં ગભરામણ થતાં બેશુદ્ધ થઈ ગયા પછી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.

આ ઉપરાંત જામનગરમાં રોયલ પુષ્પ પાર્ક વિસ્તારમાં રહેતા રણમલભાઈ ટીડાભાઇ ડેર નામના 61 વર્ષના બુઝુર્ગ ને પોતાના ઘેર છાતીમાં દુખાવો થતાં નાદુરસ્ત તબિયત થઈ જવાથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જે બનાવની તપાસ સિટી સી ડિવિઝન પોલીસ ચલાવે છે.


Google NewsGoogle News