જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ 1 - image


Jamnagar Accident : જામનગરમાં ગોકુલનગર જકાતનાકા પાસે એક અજ્ઞાત ટ્રેક્ટરના ચાલકે સ્કૂટરને હડફેટમાં લઈ લેતાં સ્કૂટરસવાર કાકા ભત્રીજીને ઈજા થઈ હતી, અને ત્રણ વર્ષની બાળકીનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર રહેતા સંજીવસિંહ કછવાઇ નામના પરપ્રાંતિય યુવાનની ત્રણ વર્ષની પુત્રી દીપાંશી સંજીવસિંહ કછવાઈ, કે જે પોતાના કાકા આનંદ કછવાઇની પાછળ બેસીને પોતાની અન્ય પુત્રી તાક્ષીને હિંગળાજ ચોકમાં આવેલા ટ્યુશનમાં મૂકીને સ્કૂટર પર પરત આવી રહ્યા હતા.

જે દરમિયાન ઉદ્યોગ નગર મેલડી માતાના મંદિર પાસે સામેથી પૂરપાટ ઝડપી આવી રહેલા અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવ્યું હતું, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ત્રણ વર્ષની ભત્રીજી દીપાંશીનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજયું હતું. જ્યારે તેણીના કાકા આનંદભાઈને પગમાં ઈજા થઈ હતી. આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાળકીના પિતા સંજયસિંહ કછવાઈએ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News