ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10ની પરીક્ષા માં જામનગર માં 278 પરીક્ષાર્થી ગેરહાજર

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10ની પરીક્ષા માં જામનગર માં 278 પરીક્ષાર્થી ગેરહાજર 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 13 માર્ચ 2024 બુધવાર

ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો. ૧૦ અને ધો.૧૨ ની બોર્ડ પરીક્ષાઓ નો ગત સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે  જામનગર માં આજે ગણિત ના પેપરમાં ધો.૧૦ માં ર૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ગત સોમવાર થી શરૂ થયેલી ધો. ૧૦-૧ર ની પરીક્ષા દરમિયાન સવારના સેસનમાં આજે ધો. ૧૦ ની ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ૧૪૭૬૭ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ૨૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આજે પરીક્ષા દરમિયાન કોઈ કોપી કેસ નોંધાયો નથી.


Google NewsGoogle News