Get The App

જામનગરમાં 15 વર્ષીય તરુણને કરિયાણાની દુકાને ખરીદી કરવા જતાં વીજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
જામનગરમાં 15 વર્ષીય તરુણને કરિયાણાની દુકાને ખરીદી કરવા જતાં વીજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ 1 - image

Jamnagar : જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતા 15 વર્ષના તરુણને કરિયાણાની દુકાને અનાજ લેવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જેથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોન્ટુ વિવેકભાઈ નામના 15 વર્ષના તરુણને નજીકમાં આવેલી એક અનાજ કરિયાણાની દુકાને અનાજ ખરીદી કરવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં લઈ જવાયાકબાદ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતાં મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News