જામનગરમાં જુગારના બે દરોડામાં વધુ 14 શખ્સો ઝડપાયા
Jamnagar Gambling Crime : જામનગર શહેરમાં પોલીસે જુદા-જુદા બે સ્થળોએ જુગાર અંગેના દરોડા પાડી 14 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 32,430 સહિતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ગોકુલનગર પ્રજાપતિ સોસાયટી પાસે આવેલ મામાદેવના મંદિર પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ વજશીભાઈ અરજણભાઈ ગોજિયા, ભગવાનજીભાઈ પોપટભાઈ સનુરા, મનસુખભાઈ અમરાભાઈ શિંગરખિયા, કિશોર નાનજીભાઈ વારોતરિયા, કરશનભાઈ કાનાભાઈ ખરા અને જગદિશ દેવજીભાઈ સોલંકી નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.17,140 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં વિમલ પાર્ક સોસાયટી પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ કમલેશ રણછોડભાઈ પરમાર, અક્ષય શંકરભાઈ સોલંકી, કિશોર મેરામણભાઈ સોલંકી, સંદીપ કિશોરભાઈ વાઘેલા, રાકેશ રણછોડભાઈ પરમાર, વિજય નવિનભાઈ ચાવડા, હરેશ મંગાભાઈ સોલંકી અને વિજય મનસુખભાઈ પરમાર સહિત આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.15,290ની રોકડ કબ્જે કરી હતી.