શેખ હસીનાએ નથી આપ્યું રાજીનામું? પુત્રનો દાવો, હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Sheikh Hasina Resign


Sajeeb Wazed on Mother Sheikh Hasina: ભારે હિંસા વચ્ચે બાંગ્લાદેશના PM શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભારતમાં શરણ લીધી છે.રાજીનામું આપવા માટે પૂરતો સમય ન આપ્યા હોવાના દાવા બાદ હવે બાંગ્લાદેશના PM શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદનું એક નિવેદન સામે આવ્યુ છે.  

પુત્ર સાજીબે દાવો કર્યો છે કે, શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું નથી આપ્યુ. આ અર્થમાં, સત્તાવાર રીતે તેઓ હજુ પણ વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે,મારી માતાને રાજીનામું આપવાનો સમય નહોતો મળ્યો અને તાત્કાલિક ભારત આવવું પડ્યું. 5 ઓગસ્ટના રોજ અહેવાલ અનુસાર શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે.

શેખ હસીનાએ નથી આપ્યું રાજીનામું? પુત્રનો દાવો, હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે 2 - image

વાજેદે કહ્યું કે બંધારણ મુજબ શેખ હસીના હજુ પણ વડાપ્રધાન છે. માતાએ જાહેર નિવેદન જારી કરવાની અને પછી રાજીનામું આપવાની યોજના બનાવી હતી પરંતુ, ત્યાર બાદ વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. ત્યારે સમય બચ્યો ન હતો. માતાએ તેનો સામાન પણ બાંધ્યો ન હતો.

મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં આરક્ષણ વિરુદ્ધ આંદોલને હિંસક અને રાજકીય-સાંપ્રદાયિક સ્વરૂપ લીધા બાદ શેખ હસીના ભારત ભાગી ગયા હતા. તેમના પુત્રએ પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ પરત જશે પરંતુ તે ક્યારે બાંગ્લાદેશ પરત ફરશે તે જણાવ્યુ નથી. 

આ પણ વાંચો: પૂર્વ પીએમ શેખ હસીના બીજા દેશમાં શરણ નહી લે, બાંગ્લાદેશ પાછા આવશે

વાજેદે કહ્યું કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનના રાજીનામા વિના સંસદ ભંગ કરી દીધી. રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટ દ્વારા પણ બદલી શકાય છે. વાજેદ શેખ હસીનાના રાજકીય સલાહકાર છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ બાંગ્લાદેશમાં ચૂંટણી થશે ત્યારે આવામી લીગ (Awami League) પણ ચૂંટણી લડશે. તેમણે આવામી લીગની વાપસીનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે.



Google NewsGoogle News