રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

યુદ્ધની શરૂઆતથી રશિયાએ તેના સક્રિય સૈન્ય કાફલામાંથી 87 ટકા સૈનિકો ગુમાવી દીધા

આટલું મોટું નુકસાન છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીછેહઠ કરી રહ્યા નથી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 1 - image


Russia vs Ukrain war updates | રશિયા-યુક્રેન યુદ્ધને લગભગ બે વર્ષ વીતી ગયા છે. બંનેમાંથી કોઈ દેશ હાર સ્વીકારવા તૈયાર નથી. હવે આ યુદ્ધને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધની શરૂઆતથી રશિયાએ તેના સક્રિય સૈન્ય કાફલામાંથી 87 ટકા સૈનિકો ગુમાવી દીધા છે. એટલું જ નહીં તેના કાફલામાં બે તૃતીયાંશ ટેન્ક પણ નાશ પામી ચૂકી છે. આ માહિતી એક સાંસદને ગુપ્ત અમેરિકી ગુપ્તચર મૂલ્યાંકનની જાણકારી ધરાવતા સ્ત્રોતને ટાંકીને આપવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાર સ્વીકારવા તૈયાર નથી

આટલું મોટું નુકસાન છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીછેહઠ કરી રહ્યા નથી. રિપોર્ટ અનુસાર જ્યારે રશિયાએ યુદ્ધ શરૂ કર્યું ત્યારે તેની પાસે 3,60,000 સૈનિકો હતા. અત્યાર સુધી તેમણે પોતાના 3,15,000 સૈનિકો યુદ્ધના મેદાનમાં ગુમાવી દીધા હોવાના અહેવાલ છે.

મોટાપાયે નુકસાન

જો આપણે શસ્ત્રોની વાત કરીએ તો મોસ્કોની 3,500 માંથી 2,200 ટેન્ક નાશ પામી ચૂકી છે. આ ઉપરાંત, 13,600 જેટલાં પગપાળા સૈનિકોના વાહનો અને બખ્તરિયાં વાહનો નષ્ટ થઈ ગયા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવેમ્બરના અંત સુધીમાં રશિયાએ ભૂમિદળો માટેના તેના ભંડારનો એક ચતૃથાંસ એક ક્વાર્ટરથી વધુ હથિયારો ગુમાવ્યા છે. આટલા મોટા નુકસાનથી રશિયાની આક્રમકતા કોઈક રીતે ઓછી થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં મોસ્કો હાર સ્વીકારવા તૈયાર નથી.

80 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થયું

નોંધનીય છે કે તાજેતરમાં લગભગ 80 દિવસના યુદ્ધવિરામ બાદ રશિયાએ ફરીથી યુક્રેન પર જોરદાર હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે છેલ્લા 79 દિવસથી અનૌપચારિક શાંતિ હતી પરંતુ 9 ડિસેમ્બરે યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો થયો હતો. યુક્રેનના આંતરિક બાબતોના મંત્રીએ કહ્યું હતું કે કિવ પર લગભગ બે કલાક સુધી હવાઈ હુમલા થયા હતા. જો કે, કિવની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ટ્રાન્ઝિટમાં ઘણી મિસાઈલોનો સફળતાપૂર્વક નાશ કર્યો, જેના કારણે કિવને થોડું નુકસાન થયું.

રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં 360000માંથી 87% સૈનિક ગુમાવ્યાં, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 2 - image


Google NewsGoogle News