દાઉદને ફૂડ પોઈઝનિંગ થયા બાદ સારવાર માટે તેના બંગલામાં જ કામચલાઉ હોસ્પિટલ ઉભી કરાઈ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
દાઉદને ફૂડ પોઈઝનિંગ થયા બાદ સારવાર માટે તેના  બંગલામાં જ કામચલાઉ હોસ્પિટલ ઉભી કરાઈ 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર

પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને આતંકી દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યુ હોવાની અટકળોથી સોશિયલ મીડિયામાં ગઈકાલે હલચલ જોવા મળી હતી.

જોકે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, દાઉદ ઈબ્રાહિમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ છે. દાઉદનો આગામી દિવસોમાં જન્મ દિવસ આવી રહયો છે અને ત્યારે જ તે બીમાર પડ્યો છે.

દાઉદનો જન્મ દિવસ 26 ડિસેમ્બરે છે અને હવે તે 68મો જન્મ દિવસ ઉજવવા માટે જઈ રહ્યો છે. આ વખતે પણ દાઉદ મોટી પાર્ટી કરવાના મૂડમાં હતો અને એવુ કહેવાય છે કે, પૂર્વ પીએમ ઈમરાન ખાનને પણ આ પાર્ટી માટે નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. આખો પરિવાર ઉજવણી માટે તૈયારી કરી રહ્યો હતો પણ દાઉદની તબિયત ખરાબ છે અને તે જોતા જન્મ દિવસ ઉજવવાના તેના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યુ છે.

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યુ હોવાની ચર્ચા વચ્ચે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પણ બંધ થતા અટકળોને વેગ મળી હતી. જોકે પાકિસ્તાની મીડિયા અને સરકાર તો આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠી છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, દાઉદને ફૂડ પોઈઝનિંગ થયા બાદ તેના બંગલાના પહેલા માળે એક રૂમને જ હોસ્પિટલમાં ફેરવી નાંખવામાં આવ્યો હતો. જ્યાં મોટા ડોકટરોને મોકલવામાં આવ્યા હતા. બંગલામાં જ તેની સારવાર કરવામાં આવી હતી.


Google NewsGoogle News