એન્ટાર્કટિકા ઉપર 21 સપ્ટેમ્બરે, એક જ દિવસમાં ઓઝોન હોલનું કદ બે કરોડ, 60 લાખ ચો.કિ.મી. થઇ ગયું
- નાસા-નોઆનો ટેસ્ટિંગ રિપોર્ટ : ગાંડાતૂર વિકાસ સામે પ્રકૃતિની સાયરન
- ઓઝોનની કુદરતી સુરક્ષારૂપ ચાદરમાં સર્જાયેલું છીદ્ર આખા ઉત્તર અમેરિકા જેટલું મોટું છે ઃ ક્લોરીન, સીએફએસ, બ્રોમાઇન વગેરે ગેસની વિપરીત અસર
વોશિંગ્ટન/મુંબઇ: પૃથ્વીના સૌથી ઠંડાગાર સ્થળ એન્ટાર્કટિકાના ગગન મંડળમાંની ઓઝોનનીવિશાળ કુદરતી ચાદરમાંના છીદ્રનું કદ (જેને ઓઝોન હોલ કહેવાય છે) ૨૦૨૩ની ૨૧, સપ્ટેમ્બરે ઘણું મોટું થઇ ગયું છે. ૨૧, સપ્ટેમ્બરે ઓઝોન હોલનું ઘટેલું કદ બે કરોડ ૬૦ લાખચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તાર જેટલું નોંધાયું છે.
એક જદિવસમાં (૨૧, સપ્ટેમ્બર) ઓઝોન હોલનું ઘટેલું કદ ૧૯૭૯ બાદ બારમું સૌથી મોટું કદ છે. ઓઝોન કુદરતી વાયુ છે.સૂર્યમાંથીસતત ફેંકાતાં અલ્ટ્રાવાયોલેટ રેઝ (પારજાંબલી કિરણો)ની ભારે વિનાશક અસરમાંથી બચાવવા માટે કુદરતે પૃથ્વીના વિરાટ ગોળાની રક્ષા કરવા ઓઝોન વાયુની વિશાળ ચાદર ગોઠવી દીધી છે. એમ કહો કે પ્રકૃતિએ પૃથ્વીની રક્ષા કરવા આકાશમાં ૫૦ કિલોમીટરના અંતર સુધી (પૃથ્વીની સપાટીથી આકાશમાં ૫૦ કિલોમીટર સુધીના વાતાવરણના પટ્ટાને ખગોળશાસ્ત્રની ભાષામાં સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે) ઓઝોન વાયુની વિશાળ કદની છત્રી ગોઠવી દીધી છે.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ રિસર્ચ એડમિનિસ્ટ્રેશન (નાસા) અને નેશનલ ઓશનિક એન્ડ એટમોસફિયરિંગ એડમિનિસ્ટ્રેશન (એન.ઓ.એ.એ.-નોઆ) દ્વારા થયેલા સહિયારા એન્યુઅલ સેટેલાઇટ એન્ડ બલુન-બેઝ્ડ મિઝરમેન્ટ (ઓઝોનની ચાદરનું સેટેલાઇટ અને બલુન દ્વારા માપ લેવાની વૈજ્ઞાાનિક પદ્ધતિ)ના રિપોર્ટ દ્વારા આવી ચિંતાજનક વિગતો મળી છે.
નાસાની ઓઝોન રિસર્ચ ટીમના વડા અનેનાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના મુખ્ય વિજ્ઞાાની પૌલ ન્યુમેન અને તેમના સાથી વિજ્ઞાાનીઓએ એવી માહિતી આપી છે કે ૨૧, સપ્ટેમ્બરે એન્ટાર્કટિકા ઉપરની ઓઝોન ચાદરમાં મોટું છીદ્ર સર્જાયું છે, જે બે કરોડ ૬૦ લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયું છે.વળી, ૨૦૨૩ની ૭, સપ્ટેમ્બરથી ૧૩, ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ઓઝોનના આ છીદ્રનું કદ બે કરોડ ૩૧ લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયું છે. ઓઝોન હોલના છીદ્રનું કદ લગભગ આખા ઉત્તર અમેરિકાના વિસ્તાર જેટલું મોટું છે.
એન્ટાર્કટિકા ઉપરના ઓઝોન વાયુ વિશે ગહન સંશોધન કરતા નાસના વિજ્ઞાાનીઓના કહેવા મુજબ દર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આખા એન્ટાર્કટિક ખંડ ઉપર ઓઝોન વાયુની કુદરતી ચાદરમાં છીદ્રમાં ઘટાડો થવાની પ્રક્રિયા થાય છે. પૃથ્વીના વાતાવરણમાં ક્લોરીન, બ્રોમાઇન, ક્લોરોફ્લોરો કાર્બન (સી.એફ.સી) નામના વાયુઓનું પ્રમાણ વધે. સાથોસાથ આ ત્રણેય વાયુઓ છેક સ્ટ્રેટોસ્ફિયરના પટ્ટા સુધી પહોંચી જાય ત્યારેતેની વિપરીત અસરથી ઓઝોનની કુદરતી છત્રીમાં સુક્ષ્મ બાકોરાં પડી જાય.આ બંને વાયુઓની ઝેરી અસરથી ઓઝોનની ચાદરમાંનાં સુક્ષ્મ પ્રાકૃતિક કણો નાશ પામે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં એરકન્ડિશનર્સ,રેફ્રીજરેટર્સ, સ્પ્રે વગેરેમાં આ જ સી.એફ.સી.નો બહોળો ઉપયોગ થાય છે.