અંતરિક્ષમાં ફસાયા સુનિતા વિલિયમ્સ : વાપસી માટે એક વર્ષ સુધી જોવી પડશે રાહ? જાણો NASAનો પ્લાન

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
Sunita Williams and Butch Wilmore



Sunita Williams Stuck in Space: 6 જૂન 2024ના રોજ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયેલા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ બે મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. મૂળ તો તેમનું મિશન આઠ જ દિવસનું હતું. 14 જૂને એમનું ધરતી પર પાછા આવવાનું નક્કી હતું, પણ અવકાશયાનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે સુનિતા સાથે એમના સહ-અંતરિક્ષયાત્રી બેરી વિલ્મોર પણ ‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન’(ISS)માં અટવાયેલા છે. હાલ નાસા (NASA) બંને અવકાશયાત્રીઓને સ્પેસ સ્ટેશનથી પરત લાવવા માટે સ્ટારલાઇનર ઉપરાંત અન્ય બીજા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

અવકાશયાત્રીઓની પરત લાવવા શું યોજના?

મીડિયા સાથે વાતચીતમાં નાસાના અધિકારીએ જણાવ્યું કે, સ્ટારલાઇનર અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને અવકાશમાંથી પરત લાવવા માટે તમામ શક્ય વિકલ્પો પર વિચાર ચાલુ છે. નાસાએ જે વિકલ્પો પર વિચાર કર્યા છે એમાંથી મુખ્ય વિકલ્પ મુજબ ફેબ્રુઆરી 2025 સુધી બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવી શકાશે. જો નાસા આ વિકલ્પ પર કામ કરશે તો તે સ્ટારલાઇનરનો ઉપયોગ કરવાના બદલે એલોન મસ્કના સ્પેસએક્સ મારફતે બંનેને પરત લાવવામાં આવશે. જો કે, નાસા હજુ પણ સ્ટારલાઇનરનો ઉપયોગ કરી બુચ અને સુનિતાને પરત લાવવા કામ કરી રહ્યું છે, પરંતુ જો એવું શક્ય નહી હોય તો નાસા ક્રુ 9ને અંવકાશ મિશન પર ભેજવા માટે સ્પેસએક્સ સાથે મળી કામ કરી રહ્યું છે. જો જરૂર પડશે તો અમે સુનિતા અને બુચને પણ એ મિશનમાં સામેલ કરી તેમને સુરક્ષીત પૃથ્વી પર પરત લાવવા અંગે વિચારી રહ્યા છે.

આ પણ વાંચોઃ શેખ હસીના હજુ કેટલા દિવસ ભારતમાં રહેશે, પછી ક્યાં જશે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

2025માં પરત આવશે સુનિતા વિલિયમ્સ?

નાસા અને સ્પેસએક્સના સહયોગી મિશન ક્રુ 9 અંગે વાત કરતાં અધિકારીએ જણાવ્યું કે, આ મિશનનો ખાસ ઉદ્દેશ્ય બંને અવકાશ યાત્રીઓને 2025 સુધી પૃથ્વી પર સલામત પરત લાવવાનું છે. આ મિશન માટે અમે પૃથ્વી પરથી બે અવકાશયાત્રીઓને મોકલવા વિચારી રહ્યા છે. સુનીતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર આ મિશનના ભાગ તરીકે સ્પેસ સ્ટેશનમાં કામ કરશે અને પછી ચારેય અવકાશયાત્રીઓને ફેબ્રુઆરી 2025 સુધી પરત લાવવામાં આવશે. જો કે, નાસાએ હમણાં સુધી આ યોજનાને મંજૂરી આપી નથી, આ યોજના પર અત્યારે માત્ર વિચાર ચાલું છે.

લાંબા સમય સુધી અવકાશમાં રહેવું જોખમી

નાસાએ જ્યારે બંને અવકાશયાત્રીઓને પરત લાવવાનો સમય 90 દિવસ લંબાવ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે, અવકાશયાત્રીઓ પાસે પર્યાપ્ત રાશન છે માટે તેમને અવકાશમાં ખાવા-પીવા અંગે કોઇ સમસ્યા થશે નહીં. પરંતુ અવકાશમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. સ્પેસમાં રેડિએશનનું ભય વધારે હોય છે જેનાથી અવકાશયાત્રીઓના શરીરને નુકસાન થઇ શકે છે. ઉપરાંત અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ન હોવાના કારણે ચહેરા પર સોઝો આવવા, લોહીની ઉણપ થવી ઉપરાંત વિવિધ સમસ્યાઓ થઇ શકે છે.

આ પણ વાંચોઃ ફરી શેખ હસીનાની બાંગ્લાદેશમાં જ થશે વાપસી! આવામી લીગના નેતાઓએ ખાધી સોગંધ, પુત્રએ જુઓ શું કહ્યું

સુનિતાના મિશનને કઈ ટેકનિકલ ખરાબી નડી? 

બોઇંગ કંપની દ્વારા બનાવાયેલું ‘બોઇંગ સ્ટારલાઇનર’ રિયુઝેબલ (ફરી વાપરી શકાય) પ્રકારનું અવકાશયાન છે. એનો વપરાશ અવકાશયાત્રીઓને ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન) સુધી લઈ જવા અને પરત લાવવા માટે થવાનો છે. એના પહેલા જ મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર ઉપડ્યા હતાં. પણ, ISS તરફ જતી વખતે જ સ્ટારલાઇનરની પ્રોપલ્શન સિસ્ટમમાં હિલિયમ લીક અને થ્રસ્ટર આઉટેજની સમસ્યાઓ સર્જાઈ હતી. ISS સુધી હેમખેમ પહોંચી તો જવાયું, પણ હવે સમસ્યાનું પાકું સમાધાન ન કરાય ત્યાં સુધી પાછા ફરવાનું સાહસ કરાય એમ નથી. અવકાશયાનના તળિયે એક નળાકાર જોડાણ છે, જેને સર્વિસ મોડ્યુલ કહેવાય છે. આ સર્વિસ મોડ્યુલ જ ઉડાન દરમિયાન અવકાશયાનને મોટાભાગની શક્તિ પ્રદાન કરે છે. સ્ટારલાઇનરમાં આ સર્વિસ મોડ્યુલમાં જ ખામી સર્જાઈ હતી.


Google NewsGoogle News