પાકિસ્તાનમાં કટ્ટરપંથી મૌલાનાની હત્યા, ભારત વિરુદ્ધ હંમેશા ભડકાઉ નિવેદન આપવા કુખ્યાત હતો

કોઈ કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે ઉસ્માનીને હુમલાખોરોએ નિશાન બનાવ્યો

તેમના ભાષણોમાં ઘણી વખત ભારતમાં જેહાદનો ઉલ્લેખ પણ કર્યો હતો

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં કટ્ટરપંથી મૌલાનાની હત્યા, ભારત વિરુદ્ધ હંમેશા ભડકાઉ નિવેદન આપવા કુખ્યાત હતો 1 - image


Maulana Masood Usmani shot dead in Pakistan : પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં ઘણાં ભારત વિરુદ્ધ ઝેર ઓકનારાની હત્યા થઈ છે ત્યારે વધુ એક કટ્ટરપંથી મૌલાનાની ગોળી મારીને હત્યા થઈ હોવાના અહેવાલ છે.  આ પણ એક મૌલવી જ હતો, જે હંમેશા ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપવા કુખ્યાત હતો.  

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા જ અરાજક્તા જોવા મળી

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા જ અરાજકતા જોવા મળી રહ્યો છે જેમાં સુન્ની ઉલેમાં કાઉન્સિલના નેતા મૌલાના મસૂદ ઉસ્માની (Maulana masood Usmani) પર ધોરા દિવસે બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉસ્માની કોઈ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતો ત્યારે હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો. 

તેની હત્યા શા માટે કરવા માટે કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી

મૌલાના ઉસ્માનીએ હંમેશા ભારત સામે ભડકાઉ ભાષણો આપવા માટે જાણીતા હતો. તેમના ભાષણોમાં ઘણી વખત ભારતમાં જેહાદનો ઉલ્લેખ પણ કર્યો હતો. જો કે આતંકવાદી હુમલામાં ઉસ્માનીના નામનો સીધો ઉલ્લેખ ક્યારેય થયો ન હતો. તેની હત્યા કોણે અને શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. જો કે આ હુમલાનું ઈરાન સાથે કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતા ઉસ્માનીને ઈરાન વિરોધી કહેવામાં આવતો હતો. 


Google NewsGoogle News