પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી હંઝલા અદનાન ઠાર મરાયો, અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને કરી હત્યા

કરાચીમાં ભારતે વધુ એક મોટા દુશ્મને ઠાર માર્યો

આતંકવાદી અદનાન અહમદ ઉર્ફ હંઝલા અદનાનને ઠાર મરાયો

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાનો આતંકી હંઝલા અદનાન ઠાર મરાયો, અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને કરી હત્યા 1 - image

ભારતના દુશ્મનોનો પાકિસ્તાનમાં સફાઈ ચાલી રહ્યો છે. કરાચીમાં ભારતે વધુ એક મોટા દુશ્મને ઠાર માર્યો છે. જોકે, 2015માં જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાનું ષડયંત્ર રચનારા લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અદનાન અહમદ ઉર્ફ હંઝલા અદનાનને ઠાર મરાયો છે. રિપોર્ટ અનુસાર, તેને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી છે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હંઝલા અદનાનને 2 અને 3 ડિસેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓથી ઠાર માર્યો. તેને કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. રિપોર્ટ અનુસાર, અદનાન 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ટ લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો ખુબ નજીકનો મનાતો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે, અદનાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી, જ્યારબાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો. 

ઉલ્લેખનીય છે કે, ઉધપુરમાં BSFના કાફલા પર લશ્કર આતંકીઓના હુમલામાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે 13 BSFના જવાન ઈજાગ્રસ્ત થયા હતા.


Google NewsGoogle News