ઈમરાન ખાનની મુશ્કેલી વધી, પહેલા PM પદ ગયું, પછી જેલમાં ધકેલાયા, હવે પત્ની પણ?

મનેકાનો આરોપ, ઈમરાન મારી મંજુરી વગર ઘરે આવતો, બુશરા સાથે એકાંતમાં મુલાકાત કરતો

મનેકાએ ઈમરાન-બુશરાના નિકાહ ‘ઈદ્દત’ સમયગાળામાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
ઈમરાન ખાનની મુશ્કેલી વધી, પહેલા PM પદ ગયું, પછી જેલમાં ધકેલાયા, હવે પત્ની પણ? 1 - image

ઈસ્લામબાાદ, તા.26 નવેમ્બર-2023, રવિવાર

પાકિસ્તાન (Pakistan) તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પહેલા વડાપ્રધાન પદ ગમાવ્યું, ત્યારબાદ તેમણે ધક્કો મારી જલેમાં ધકેલી દેવાયા, હવે તેમના વધુ એક મુસીબત આવી છે. હવે ઈમરાન અને બુશરા બીબી (Bushra Bibi)ના લગ્નમાં ભંગાણ પાડવા બુશરાના પૂર્વ પતિએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર મનેકા (Khawar Maneka)એ પૂર્વ વડાપ્રધાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 

ઈમરાન-બુશરાના લગ્ન બિન-ઈસ્લામિક

મનેકાએ ઈમરાન અને બુશરાના બિન-ઈસ્લામિક લગ્નને જિલ્લા અને સત્ર અદાલતમાં પડકાર્યા છે, જેના કારણે ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. બુશરા બીબીના પૂર્વ પત્ની મનેકા અગાઉ મુહમ્મદ હનીફે ઈમરાન ખાનના લગ્નને પડકારની કોર્ટમાં અરજી કરી હતી, જોકે હનીફે અરજી પરત ખેંચી હતી, ત્યારબાદ એક દિવસ બાદ ખાવર મનેકા દ્વારા આવી જ અરજી કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં તેણે ઈમરાન-બુશરાના લગ્નને ‘બિન-ઇસ્લામિક’ કહ્યા છે.

ઈમરાન ખાનના તુટશે લગ્ન ?

બુશરા બીબીના પૂર્વ પતિ ખાવર મનેકાએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝમાં ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની પૂર્વ પત્ની અંગે ચોંકાવનારા દાવાઓ કર્યા હતા. આ દરમિયાન મનેકાએ ઈમરાનના લગ્ન છેતરપિંડીથી થયા હોવાનું કહી જણાવ્યું કે, નિકાહ ‘ઈદ્દત’ સમયગાળામાં (ઈસ્લામ મુજબ આ તે સમય છે, જેમાં એક મહિલા પોતાના મૃત્યુ બાદ અથવા તલાક બાદ એકાંતમાં જઈ રહી છે) સંપન્ન થયા હતા. મનેકાએ બુશરા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે, બુશરા જ્યારે ઈદ્દત સમયગાળામાં હતી, તે દરમિયાન બંનેએ લગ્ન કર્યા છે, તેથી આ નિકાહ ઈસ્લામ વિરુદ્ધ છે, આ જ કારણે ઈમરાન અને બુશરાના નિકાહ રદ કરવામાં આવે. આ નિકાહ અને લગ્ન સમારંભ કાયદાકીય પણ ન હતા અને ઈસ્લામ રીતરિવાજ મુજબ પણ થયા ન હતા, આ લગ્ન ઈદ્દત સમયગાળાનું પાલન કર્યા વગર જ કરવામાં આવ્યા હતા.

મનેકાનો આરોપ, ઈમરાન મારી મંજુરી વગર ઘરે આવતો, બુશરા સાથે એકાંતમાં મુલાકાત કરતો

ઈમરાન-બુશરા વિરુદ્ધ કરેલી પિટિશન અંગે મનેકાએ કહ્યું કે, ઈમરાન ખાને તેમનું આખુ જીવન બરબાર કરી નાખ્યું. મનેકાએ પિટિશમાં એવું પણ કહ્યું છે કે, ઈમરાન ખાન તેમની મંજુરી વગર ઘરે આવતા હતા, બુશરા બીબી સાથે એકાંતમાં મુલાકાત કરતા હતા, ઈમરાન મોડી રાત્રે બુશરાને ફોન કરતો રહેતો હતો, જેના કારણે તેમની લગ્નજીવન બરબાર થઈ ગયું. ઈમરાને મારા પરિવારને કલંકિત કરી દીધું.  ખાવર મનેકાએ કોર્ટને વિનંતી કરી છે કે, ઈમરાન અને બુશરાને કોર્ટમાં બોલાવવામાં આવે અને ન્યાયના હિતમાં કડકમાં કડક સજા કરવામાં આવે.


Google NewsGoogle News