નિજ્જર બાદ પન્નૂની હત્યાની આશંકા! ભયભીત ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે કરી ધક્કા-મુક્કી

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
નિજ્જર બાદ પન્નૂની હત્યાની આશંકા! ભયભીત ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે કરી ધક્કા-મુક્કી 1 - image


Image Source: Twitter

- રાજદૂત ગુરુપર્વના અવસર પર પ્રાર્થના કરવા માટે ગુરુદ્વારા ગયા હતા

ન્યૂયોર્ક, તા. 27 નવેમ્બર 2023, સોમવાર

કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નૂને હત્યાનો ડર સતાવી રહ્યો છે. તેના જ કારણે આજે તેના સમર્થકોએ અમેરિકાના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે ધક્કા-મુક્કી કરી હતી. 

ખાલિસ્તાની સમર્થકોએ રાજદૂત સાથે કર્યો દુર્વ્યવહાર

સંધૂને ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં હિક્સવિલે ગુરુદ્વારાની મુલાકાત દરમિયાન ખાલિસ્તાની સમર્થક તત્વોના એક સમૂહે ઘેરી લીધા હતા અને તેમની સાથે ધક્કા-મુક્કી કરી હતી. રાજદૂત ગુરુપર્વના અવસર પર પ્રાર્થના કરવા માટે ગુરુદ્વારા ગયા હતા.

અનેક વાયરલ વીડિયોમાં સંધૂને ખાલિસ્તાની સમર્થકોને રાજદૂત સાથે ધક્કા-મુક્કી કરતા જોઈ શકાય છે જેઓ ભારત દ્વારા નામિત આતંકવાદીઓ હરદીપ સિંહ નિજ્જર અને ગુરપતવંત સિંહ પન્નુ વિશે નિવેદન આપી રહ્યા હતા. 

બીજેપી નેતાએ શેર કર્યો વીડિયો

રાજદૂત તરનજીત સિંહ સંધૂ સાથે ધક્કા-મુક્કીનો આ વીડિયો બીજેપી નેતા આરપી સિંહે શેર કર્યો છે. 

ગુરુપર્વના અવસર પર ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ગયા હતા રાજદૂત

આ પહેલા રાજદૂતે ટ્વીટ કર્યું હતું કે, ગુરુપર્વની ઉજવણી માટે લોન્ગ આઈલેન્ડના ગુરુ નાનક દરબારમાં સ્થાનિક સંગત સાથે સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 



Google NewsGoogle News